Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ઉનાકાંડના પીડિતો સહિત ૨ હજાર દલિતો માયાવતી હાર્દિક પટેલ સહિત મહાનુભાવોની હાજરીમાં ધર્મ પરિવર્તન કરશે

મોટા સમઢિયાણામાં ૨૯ મીએ ધર્મદિક્ષામાં મહોત્સવઃ આંકોલવાડીમાં જીવતા સળગાવેલા યુવાનનો પરિવર્તન બૌધ ધર્મ અંગ્નકાર કરશે

ઉના તા.૨૪: તાલુકાના મોઢા સમઢિયાણામાં તા.૨૯મીએ યોજાનાર ધર્મદિક્ષા મહોત્સવમાં ઉના કાંડના પીડિતો સહિત ૨ હજાર દલિતો ધર્મ પરિવર્તન કરશે. માયાવતી, પ્રકાશરાવ આંબેડકર તથા હાર્દિક પટેલ સહિત મહોત્સવ યોજાશે.

ઉનાના મોટા  સમઢિયાળા ગામના દલિત યુવાનો ઉપર થયેલા   અમાનવીય અત્યાચારના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા   બાદ   ઉનાકાંડના પીડિતોને સરકારે આપેલા ઠાલા વચનો પરિપૂર્ણ ન   થતાં   અને   સરકારે વિધાનસભામાં કોઈ વચનો જ આપ્યા ન હોવાની જાહેરાત કરી પીડિતોની લાગણીને ઠેસ પહોંચાડી   તેમની   સાથે ખિલવાડ     કરતા     અને જાતિવાદને  લીધે  થયેલા ક્રૂરતાપૂર્વકના અત્યાચારોના કારણે ઉનાકાંડના ૮ પીડિતો સહિત અંદાજે ર૦૦૦ જેટલા દલિતો તા.ર૯ એપ્રિલના ભગવાન બુદ્ધ પૂર્ણિમાના દિવસે  મોટા સમઢિયાફ્રા ગામે ધર્માંતર કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર છે.

ઉનાકાંડના પીડિત અને મુખ્ય ફરિયાદી વસરામ બાલુભાઈ મોટા-સમઢીયાળા ગામના     ૧૦૦     જેટલા પરિવારી સહિત ર૦૦૦ જેટલા દલિતોએ  ધર્મ  પરિવર્તન કરવાનું   જણાવ્યું   હતું. ઉનાકાંડના પીડિત બાલુભાઈ સરવૈયા     અને     તેમના પરિવારજનો દ્વારા આયોજિત "ધમ્મ દિક્ષા" મહોત્સવમાં અલગ-અલગ     ગામોના દલિતો બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે.

દલિત સમાજ    માટે    આંદોલન ચલાવતા દલિત એક્ટિવીસ્ટ અને એડવોકેટ કેવલસિંહ રાઠોડે રોષપૂર્વક સરકાર અને જાતિવાદનો ઝંડો લઈને ચાલનારાઓની  ઝાટકણી કાઢી ઉચ્ચ જાતિના હિન્દુ લોકો દ્વારા જ હિન્દુઓ ઉપર અત્યાચાર થતાં હોવાનું અને આ લોકો શિડ્યુલ કાસ્ટના લોકોને હિન્દુ ગણતા જ ન હોય અને  જાતિ આધારિત   અત્યાચારોના કારણે  ત્રસ્ત  થઈ  પીડિત પરિવારો ધર્માંતર કરી રહ્યા હોવાનું  જણાવી  ગુજરાત સરકારે  પણ  ઉનાકાંંડના પીડિતો સાથે ધોકો કરી- તત્કાલિન         મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉનાકાંડના પીડિતોને પ એકર જમીન- સરકારી નોકરી- બીપીએલ કાર્ડ જેવા આપેલા વચનોમાંથી મુખ ફેરવી લઈ ગત દિવસોમાં વિધાનસભામાં સરકારે આવા કોઈ વચનો આપ્યા જ નથીની જાહેરાત કરી સરકારે આપેલા વચનોમાં ફરી જઈ પીડિતો સાથે ધોકાગરી કરી હોવાનો સણસણતો આક્ષેપ કેવલસિંહ રાઠોડે  કર્યો  હતો.

ઉના કાંડના કુલ ૮ પીડિતો જેમાં મોટા સમઢિયાળા ગામના બાલુભાઈ સરવૈયા તેમની  ધર્મપત્ની  કુંવરબેન-પુત્રો  વસરામ  અને  રમેશ  તેમજ  અશોક  સરવૈયા  બેચરભાઈ  સરવૈયા  અને  બાજુના  બેડિયા  ગામના  અરજણભાઈ  બાબરિયા  અને દેવસિંહભાઈ બાબરિયા આ પીડિતો પરિવાર સહિત  ધર્માંતર કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરશે.

 દલિત  સમાજને એક્ટિવિસ્ટ  કેવલસિંહ  રાઠોડે  જણાવ્યું  હતું  કે,  તા.૧૩/૯/ ૧રના  રોજ  આકોલવાડી  ગામે  નરાધમો  દ્વારા  દલિત  યુવાન  લાલજીભાઈ કાળાભાઈ  સરવૈયાને  જીવતા  સફ્રગાવી  નાંખવાની  હિચકારી  ઘટના  ઘટી  હતી. આ  હિચકારી  ઘટના  બાદ  મૃતક  લાલજીભાઈનો  પરિવાર  આકોલવાડી  ગામેથી ડરના  માર્યા  હિઝરત  કરી  હાલ  દેલવાડા  ગામે  વસવાટ  કરે  છે  તે  લાલજીભાઈ પિતા  કાળાભાઈ  જેઠાભાઈ  સરવૈયા  પણ  ર૯/૪ના  રોજ  પરિવાર  સાથે  ધર્મ પરિવર્તન  કરી  બૌદ્ધ  ધર્મ  અંગીકાર  કરશે. મોઢા ગામના પર દલિત ખેડૂતોની સાંથણીની જમીન જાતીભેદ રાખી શરત ભંગ કરી હડપ કર્યાના મુદ્દે આ ખેડૂતો તંત્ર સામે આમરણ ઉપવાસ પર બેઠા હતા તે તમામ પર ખેડૂતો ઉપરાંત મોઢા ગામે "બૌદ્ધ વિહાર" તોડી પાડી નાંખ્યાની ઘટનાના પીડિત સંજયભાઈ  સોંદરવા  પણ  પરિવાર  સાથે  તા.ર૯ના  રોજ  ધર્માંતર  કરશે.(૯.૬)

(1:33 pm IST)