Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

લાખોની લેતી-દેતી પ્રશ્ને સરપંચે અપહરણ કરી, બરફની લાદી પર સુવડાવી ક્રૂર હત્યા કરી

ધોળકા તા. ૨૪ : અહીંના ગૂમ થયેલ ભરત નામના એક યુવકની સરપંચે ૧૦ લાખ રૂપિયાની લેતી દેતી મામલે બે આરોપીઓની સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાંનું ખુલ્યું છે. ધોળકા પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ પરમારની ગુમ થયાની ફરિયાદ અગાઉ નોંધાઇ હતી.

તપાસ કરતા ધોળકાનાં સરપંચ જીતુભાઈ પરમાર, કૌશિકભાઈ પરમાર, વિક્રમભાઈ પરમાર આ ત્રણેય આરોપીઓએ ભરતભાઈ પરમાર નામની વ્યકિતનું અપહરણ કરીને તેઓને બરફની પાટ ઉપર સુવાડીને ઢોર માર માર્યો હતો. બાદમાં પેટ્રોલ છાંટીને લાશને સળગાવી દેવાઇ હતી. નર્મદા જીલ્લાનાં સુવિખ્યાત ધર્મસ્થળ પોઈચા ગામે નર્મદા નદીનાં પટમાં આરોપીઓએ ખાડો ખોદીને તેમાં લાશને દાટી દીધી હતી. આમ આરોપીઓએ ૧૦ લાખ રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું છે.

ધોળકા પોલીસે મારનાર ભરતભાઈનાં પત્ની ગીતાબેને કરેલી ફરિયાદની ઉંડાણપૂર્વક તપાસ કરતા આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. ત્રણે આરોપીઓની ધરપકડ પણ કરી છે.

(11:33 am IST)