Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

મીઠાપુર સુરજકરાડીમાં આસિફા ને ન્યાય મળે તે માટે કાર્યક્રમો

મીઠાપુર : આસિફાકાંડના વિરૂદ્ધમાં મીઠાપુર અને સુરજકરાડીમાં પણ દરેક સમાજના યુવા વર્ગ દ્વારા આવા બનાવોની વિરૂદ્ધમાં અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ગઇકાલે તા. ર૦-૪-ર૦૧૮ના રોજ સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી સુરજકરાડી આવેલી ઓખા નગરપાલિકાની પેટા કચેરી સામે એક મોટા સફેદ કપડા પર દરેક વર્ગના લોકો દ્વારા હસ્તાક્ષર કરાવવામાં આવી હતી. આ કાર્યમાં અપંગ તેમજ શારીરિક ખોડખાપણવાળા લોકોએ પણ સહી કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આશરે ર૦૦૦ જેટલા લોકોએ આ કપડા પર સહી કરી હતી. ત્યારબાદ સાંજે ૭ વાગ્યે મીઠાપુર મસ્જીદ પાસેથી એક મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કોઇપણ જાતના નારા વગર દરેક વર્ગના યુવાઓ જોડાયા હતા. આ રેલી મીઠાપુર મસ્જીદેથી નીકળી અને મીઠાપુર પોલીસ સ્ટેશન સુધી ગઇ હતી અને ત્યાં મીઠાપુરના પી.આઇ. ચન્દ્રકલાબા જાડેજાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા-મીઠાપુર)(૮.૪) 

(9:40 am IST)