Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

જામનગરમાં શસ્ત્ર સાથે પરશુરામજીની મહાઆરતી

જામનગર : અહીયા ભગવાન શ્રી પરશુરામજી જન્મોત્સવની ઉજવણીરૂપે પરશુરામ સેના આરતી ગૃપ દ્વારા શસ્ત્રો સાથેની મહાઆરતી યોજાઇ હતી. દર રવિવારે શ્રી પરશુરામની આરતી કરતા હોય છે. જેમાં જન્મોત્સવના દિવસે ૬૦ મી મહા આરતી કરાઇ હતી. આ પ્રસંગે શ્રી પરશુરામજીને તલવારથી સુશોભિત કર્યા બાદ  એ જ તલવારોને સમુહમાં પ્રસાદીરૂપે લઇ 'જય પરશુરામ' ના ઘોષ સાથે મહા આરતી કરી પરશુરામ સેના આરતી ગૃપના ભાર્ગવ ભટ્ટ, માધવ પુંજાણી, હાર્દિક ઓઝા, પ્રિયંક ભટ્ટ, ભવ્યરાજ ખીરા  સુમિત ભટ્ટ, ખિલન ભટ્ટ, નિશ્ચય પંડયા મયુર શુકલા, યશ મહેતા, પ્રણય પાઠક, કિશોર વ્યાસ  અને ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટ સહિતના એ લાભ લીધો હતો તે પ્રસંગની તસ્વીર. (૧.૧૭)

(12:22 pm IST)