Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

અંજારના સતાપર ગામમાં એકાએક ભારે પવન ફુંકાતા કથામંડપ હવામાં ઉડ્યો

કચ્છના અંજારના સતાપર ગામમાં એકાએક હવામાનમાં પલટો આવતા કથા મંડપ હવામાં ઉડ્યો હતો . સતાપર ગામમાં ગોવર્ધન પર વ્રજપ્રભાવગ્રંથ પારાયણ ચાલી રહ્યુ હતુ. ત્યારે અચાનક ભારે પવન ફુંકાતા કથા મંડપ હવામાં ઉડ્યો હતો.જોકે સદનશીબે આ ઘટનામાં કોઈ જનહાનિ થઈ નથી.
  અચાનક ડોમ હવામાં ઉડવા લાગતા દોડધામ મચી જવા પામી હતી. જો કે કોઇ જાનહાની થવા પામી નહોંતી. અંજારના સતાપર ખાતે કથા ચાલી રહી છે અને રોજ મોટા પ્રમાણમાં ભાવકો કથાનું રસપાન કરવા માટે આવી પહોંચે છે. ત્યારે ગતરોજ અચાનક પવન ફૂંકાતા ડોમ હવામાં ઉડવા લાગ્યો હતો અને ભાવકોમાં દોડધામ પણ મચી જવા પામી હતી.

 

(1:00 am IST)