Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

પોરબંદરના છાંયા અને ખીરસરામાં કોરાનાના વધુ ૧-૧- કેસ

 

પોરબંદર : છાંયા તેમજ ખીરસરામાં કોરોના પોઝીટીવના વધુ ૧-૧ કેસ આવ્‍યાં છે.

પોરબંદર જિલ્‍લામાં દોઢ મહિનાથી કોરોના કેસમાં બ્રેક બાદ છેલ્‍લા અઠવાડિયામાં કોરોનાના ૩ કેસ આવ્‍યાં હતા અને ત્‍યારબાદ આજે વધુ ર કેસ છાંયા અને ખીરસરામાંથી આવ્‍યાં છે.

છાંયામાં ૮૩ વર્ષના વૃધ્‍ધ અને ખીરસરામાં પર વર્ષના આઘેડના કોરના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યો હતો.

પોરબંદર શહેર જિલ્‍લામાં કોરોના કેસની પુરતી નોંધ થતી નહી હોવાની અને કેટલીકવાર કોરોનાના આંકડા ખોટા બહાર પડતા હોવાની કેટલાકં સમયથી ફરીયાદો છે.

કલેકટર આ અંગે સુચના આપીને કોરોના સાચા આંકડા જાહેર કરાવે તેવી માંગણી ઉઠી છે.

 

(9:48 pm IST)