Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભાવનગરમાં વધુ ૩૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૬૦૪ કેસો પૈકી ૨૩૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૨૪ : ભાવનગર જિલ્લામા નવા ૩૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૬૦૪ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૨ પુરૂષ અને ૬ સ્ત્રી મળી કુલ ૧૮ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૩, દ્યોદ્યા તાલુકાના ભાંખલ ગામ ખાતે ૧, દ્યોદ્યા તાલુકાના વાવડી ગામ ખાતે ૧, વલ્લભીપુર ખાતે ૨, જેસર તાલુકાના ઉગણવાલ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ધારૂકા ગામ ખાતે ૧ તેમજ તળાજા ખાતે ૧ કેસ મળી કુલ ૧૩ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧૪ અને તાલુકાઓમાં ૨ કેસ મળી કુલ ૧૬ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૬,૬૦૪ કેસ પૈકી હાલ ૨૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:49 am IST)