Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

નિયમ -૩૭૭ અંતર્ગત લોકસભામાં પ્રશ્ન ઉઠાવતા અમરેલીના સાંસદ કાછડીયા

અમરેલી જીલ્લા અને જિલ્લાને સલગ્ન ત્રણ બ્રોડગેજ પ્રોજેકટસ બાબતે

અમરેલી,તા. ૨૪: અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા અમરેલી સંસદીય વિસ્તારના વિવિધ પડતર પ્રશ્નો અંગે લોકસભા ગહમાં સતત વાચા આપવામાં આવતી હોય છે ત્યારે અમરેલી જીલ્લા માંથી પસાર થતી અને જીલ્લાને સંલગ્ન કુલ ત્રણ મીટરગેજ લાઈનોને બ્રોડગેજમાં રૂપાંતરીત કરવાના પ્રોજેકટસ બાબતે પણ નિયમ–૩૭૭ અંતર્ગત લોકસભા ગહ માં પ્રશ્ન ઉઠાવેલ હતો.

સાંસદશ્રીએ લોકસભા ગહમાં કરેલ રજૂઆત મુજબ અમરેલી સંસદીય ક્ષેત્રમાં પશ્ચિમ રેલ્વે–ભાવનગર ડીવીઝન અંતગન્ન્ત અમરેલીના ત્રણ મહત્વપૂણન્ન્ રેલ્વે પરીયોજનાઓ કે જેમને ૧પ મી લોકસભામાં સતત પ્રશ્નોતરી અને પત્ર વ્યવહાર દ્વારા રેલ્વે મંત્રાલયને અવગત કરાવતો આવ્યો છું કે, (૧) ખીજડીયા–અમરેલી–વિસાવદર પ્રોજેકટ (૯૧.ર૭ કી.મી. રૂ. પ૪૭ કરોડ), (ર) વેરાવળ–તાલાળા–વિસાવદર (૭૧.૯પ કી.મી. રૂ. ૪૬૦ કરોડ)  અને (૩) વિસાવદર–જૂનાગઢ (૪ર.ર૮ કી.મી. રૂ. રપ૩ કરોડ) આ ત્રણેય પરીયોજનાઓની કામગીરી આર.વી.એન.એલ.ના માઘ્યમથી ચાલી રહી છે અને વતન્ન્માનમાં આ ત્રણેય પ્રોજેકટસ વાઈલ્ડ લાઈફ કલીયરન્સ માટે ચીફ વાઈલ્ડ લાઈફ વોડન્ન્ન–ગુજરાત પાસે પેન્ડીંગ છે.

અમરેલી સંસદીય ક્ષેત્રના લોકોને આ ત્રણેય પ્રોજેકટસનો સત્વરે લાભ મળી શકે, અમરેલી જીલ્લાનો વિકાસ થઈ શકે અને રેલ્વે મંત્રાલયના રાજસ્વમાં વધારો થાય તે માટે આ ત્રણેય પ્રોજેકટસમાં વ્યકિતગત રૂચિ લઈ સબંધિત વિભાગના અધિકારીશ્રીને વાઈલ્ડ લાઈફ કલીયરન્સ માટે આવશ્યક કાર્યવાહી હેતુ જરૂરી દિશા નિર્દેશ આપવા સાંસદશ્રીએ મંત્રીશ્રીને રજૂઆત કરેલ છે.

(11:44 am IST)