Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર હોળી-ધૂળેટીના તહેવારમાં શનિ-રવિ અને સોમવારે ભાવિકો માટે બંધ રહેશે

તહેવારોને લઇને કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે ગાદીપતિ પૂ. રઘુરામબાપા દ્વારા નિર્ણય

રાજકોટ તા. ૨૪ : વિશ્વ વિખ્યાત પૂજય જલારામ બાપાનું મંદિર ત્રણ દિવસ બંધ રહેશે હોળી-ધુળેટીના તહેવારને કારણે વીરપુર જલારામ મંદિર શનિ, રવિ અને સોમ ત્રણ દિવસ ભાવિકો માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

વીરપુર જલારામસુપ્રસિદ્ઘ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર તારીખ .૨૭/૩/૨૧ થી તા. ૩૦/૩/૨૧ સુધી  મંદિર દર્શનાર્થીઓ માટે ત્રણ દિવસ માટે બંધ રહેશે. આવતા શનિ/રવિ/સોમ એમ ત્રણ દિવસ હોળી-ધુળેટીના તહેવારને લઈને કોરોના સંક્રમણ વધુ ન ફેલાઇ તે માટે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે. વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઈને પૂજય શ્રી જલારામ મંદિરના ગાદીપતિ પૂજય રઘુરામબાપા દ્વારા નિર્ણય લેવાયો છે.

(10:42 am IST)