Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

રાણાવાવમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ

રાણાવાવ તા. ર૪: કોરોનાના કહેર સામે તકેદારી અને સાવચેતી માટે શહેરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો સિવાય અન્ય કોઇપણ દુકાનો તા. ૩૧મી સુધી બંધ રાખવા પાલિકાએ જણાવેલ છે. શહેરમાં કેટલીક જગ્યાએ દુકાનો ખુલ્લી રહેલ હોય પોલીસ દ્વારા બંધ કરાવેલ છે. શહેરમાં બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જનતા કફર્યુની અપીલને લોકોએ જબરૂ સમર્થન આપ્યું હતું.

(12:09 pm IST)