Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ગોંડલમાં સાંસદના પુત્રો મુદ્દે સાવચેતીના પગલા કેમ નહીં ? યતિશ દેસાઇનો આક્રોશ

ગોંડલ, તા. ર૪ : ગોંડલ પાલિકાના સદસ્ય યતિશભાઇ દેસાઇએ જણાવેલ કે કોરાના વાઇરસની વિશેષ પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગંભીર પગલા લઇ રહ્યા છે.

ત્યારે ગોંડલના વતની અને સાંસદ રમેશભાઇ ધડુકના દિકરાઓ હમણાંજ વિદેશથી ફરી આવેલ છે ત્યારે ગોંડલનું એક પણ તંત્ર તેમને કોરોન્ટાઇન કરવા કે તેમને તથા તેમના રહેણાંકના વિસ્તારને સાવચીતના એક પણ પગલા ભરવામાં આવેલ નથી. હવે જો તાત્કાલીક અસરથી શહેરની સવા લાખની જનતાના હિસાબે જોખમે છાવરી રહેલ હોઇ ત્યારે તાત્કાલીક જવાબદારો સામે પગલા ભરવા તેમ સદસ્ય યતિશભાઇ જી. દેસાઇએ લેખીતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જણાવેલ છે.

(12:04 pm IST)