Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

તળાજામાં કોઇ ગરીબને ભૂખ્યા સૂવા નહીં દેવાય

ભાવનગર તા.૨૪:તળાજા સ્થિત સદભાવના એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવા કમિટી દ્વારા વર્તમાન સ્થિતિ ને અનુલક્ષી જનતા કરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ખાસ મજૂર ગરીબ વર્ગ કે જે દરરોજ કમાય અને દરરોજનું રાશન લાવીને ખાય આવા પરિવારના લોકો ભૂખ્યા ન રહે તેમાટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

અબાસભાઈ ભૂરાણી, આઈ.કે વાળા, રમેશભાઇ ભાલિયાની બનેલી કમિટી દ્વારા જાફરી સ્કુલ, રેલવે સ્ટેશન બજરંગ દાસ બાપ મઢી, રોયલ ચોકડી, ગોરખીરોડ, પાલિકા વિસ્તાર એમ પાંચ વિસ્તરોમાં હાલ ગરીબ પરિવારો નું સર્વે કરવામાં આવી રહ્યું છે.રાશન કાર્ડના નામઅને ઘરના સભ્યોની સંખ્યા પ્રમાણે ચાર વ્યકિત એકઠા ન થાય તે માટે સ્વંયસેવકો દ્વારા જ ગરીબ પરિવાર,ઝૂંપડપટ્ટીમાં ફ્રુડ પેકેટ ત્યાર કરી ભોજન પહોંચતું કરવામાં આવશે.

આઈ.કે વાળાએ જણાવ્યું હતું કે ગામમાંથી અનેક દાતાઓ તૈયાર થયા છે.સતત ફોન આવી રહ્યા છે. કોઈ ગરીબ ભૂખ્યો સુવે નહિગરીબોના ઘેર ઘેર ભોજન પહોંચતું કરવામાં આવશે.

(12:02 pm IST)