Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

પોરબંદર પાસે એસ.ટી -કાર વચ્ચે અકસ્માતઃ બે ના મોત

પોરબંદરઃ  પોરબંદર નજીક દ્વારકા પોરબંદર હાઇવે પર એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત : કારસ્વાર દંપતિનુ મોતઃ પુત્રને ગંભીર ઇજા થતા રાજકોટ ખસેડાયો વડોદરા  રહેતા અને કોર્ટમાં નોકરી  કરતા હિરેનભાઇ વિનાયકભાઇ જોષી (પપ)  અને તેમના પત્ની ગાયત્રીબેન (પ૩)  તથા તેમનો પુત્ર આદિત્ય (ર૧)  જનોઇ પ્રસંગે દ્વારકા ગયેલ અને પરત ફરી રહ્યા હતા ત્યારે હર્ષદના ગાંધવી નજીક હાઇવે ર પેમની કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયેલ હતો. જેમાં હિરેનભાઇનુ ઘટનાસ્થળે જ મૃત્યુ થયુ હતુ.  જયારે તેમના પત્નીનુ રસ્તામાં જ મોત નિપજેલ.  પુત્ર આદિત્યને પોરબંદર સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે.

(11:45 pm IST)