Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

રાજકોટ જીલ્લા સુરક્ષા મંડળ દ્વારા ટંકારામાં ગ્રાહક જાગૃતિ સેમીનાર યોજાયો

ટંકારા તા. ર૪ :.. રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ તથા બીએસઇ લી. મુંબઇ દ્વારા વિશ્વ ઉપભોકતા દિવસની ઉજવણી પ્રસંગે ગ્રાહક જાગૃતિ સેમીનાર યોજાયેલ.

ટંકારા શાળાના બિપીનભાઇ પ્રજાપતિ દ્વારા સ્વાગત કરાયેલ.

શ્રીમતી રમાબેન આર. માવાણી, પ્રમુખશ્રી રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ તથા લાલજીભાઇ મહેતા પ્રમુખશ્રી મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ તથા મહેમાનો દ્વારા ગ્રાહકોને જાગૃત થવા અપીલ કરેલ.

ગ્રાહકો આઇએસઆઇ માર્કા વાળી વસ્તુઓ ખરીદવ ત્યારે આઇ. એસ. આઇ. માર્કાની નિશાની ઉપર તથા નીચે માતાંક નંબર છાપેલ છે. કે નહી તે ચકાશે. માતાંક નંબર વગર ફકત આઇએસઆઇ ની નિશાની વાળો માલ ડુપ્લીકેટ હોય શકે.

સોનાના દાગીના તથા જવેલરી હોલ, માર્કસ નિશાની વાળી ખરીદજો. તેનાથી તમો છેતરાતા બચશો. ભવિષ્યમાં તેની પુરી કિંમત મળશે.

ગ્રાહકો છેતરાય તરીકે સહન કરવાના બદલે ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા ફરીયાદ કરે. તેને ન્યાય અપાવવા પુરા પ્રયત્નો કરીશું તેમ જણાવેલ.

આભારવિધી કુ. પુર્ણીબેન દવે દ્વારા કરયેલ. (પ૧૬)

(12:59 pm IST)