Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

જામનગરમાં છઠ્ઠા માળેથી કૂદકો મારતા માતા - પુત્રીના મોત

ત્રીજા લગ્ન સફળ થશે કે નહીં તેવું વિચારીને

જામનગર  તા. ૨૪ : અહીં મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના એલ.આઈ.જી. વિગ–રમાં રહેતા મુકતાબેન જયરામભાઈ વાલજીભાઈ ઓડીયા ઉ.વ.પ૪ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, વર્ષાબેન જેરામભાઈ વાલજીભાઈ ઓડીયા (ઉ.વ.૩પ)ના અગાઉ નવેક વર્ષ પહેલા લગ્ન થયેલા જે છૂટાછેડા થઈ ગયા બાદ ફરી પાછા બીજા લગ્ન થયેલા જે લગ્ન પણ છ માસમાં છૂટાછેડા થયેલા હતા. હાલમાં ત્રીજા લગ્ન નકકી થયેલ હતા પરંતુ આ લગ્ન પણ સફળ થશે કે કેમ તેવું મનમા વિચારતા મનમા લાગી આવતા પોતાની મળે તેની છોકરી તાન્યા (ઉ.વ.૭)ને લઈ છઠ્ઠા માળેથી નીચે કુદકો મારતા મરણ ગયેલ છે.(૨૧.૨૧)

(12:59 pm IST)