Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

જુનાગઢમાં બાઇકની ઠોકરે કુંભાર વૃધ્ધ જનકભાઇ સંચાણીયાનું મોત

રાજકોટ તા. ૨૪: જુનાગઢમાં બાઇકની ઠોકરે ચડી જતાં કુંભાર વૃધ્ધનું મોત નિપજ્યું છે.

સરદારબાગ પાછળ આશીર્વાદ સોસાયટીમાં રહેતાં જનકભાઇ નાથાભાઇ સંચાણીયા (ઉ.૮૦) નામના વૃધ્ધ ૨૨મીએ સાંજે ઘરેથી આંટો મારવા નીકળ્યા ત્યારે સરદારબાગ પાસે રોડ ઓળંગતી વેળાએ એક બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે તેમનું મોત નિપજતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

હોસ્પિટલ ચોકીના સલિમભાઇ ફુલાણી અને રવિભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે.

(11:48 am IST)