Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ભુજમાં યુવાન પરિણીતાના આપઘાત પ્રકરણમાં પતિ શંકાના દાયરામાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૪: ભુજના ગણેશનગરમાં રહેતી હિના દિનેશ ગોસ્વામી નામની યુવાન પરિણીતા એ કરેલ આપઘાતના કિસ્સામાં પોલીસે શંકાના આધારે પતિ સામે તપાસ શરૂ કરી છે. હિનાબેન દ્વારા પોતાને ઘેર ગળે ફાંસો ખાઈ આપઘાત કરાયો હોવાની ફરિયાદ સાથે તેના પતિ દિનેશ ગોસ્વામી હિનાબેનને હોસ્પિટલે લઈ ગયો હતો.

જયાં ફરજ પરના તબીબે તેણીને મૃત ઘોષિત કરી હતી. આ બનાવમાં પોલીસે મૃતક પરિણીતાએ જયાં આપઘાત કર્યો હતો તે રૂમમાં તપાસ કરતાં આપઘાતના કોઈ પુરાવા ન મળતાં શંકાના આધારે પતિ દિનેશ ગોસ્વામી સામે તપાસ હાથ ધરી છે.

પોલીસે મૃતક મહિલાના મૃત્યુનું કારણ જાણવા લાશને પીએમ માટે જામનગર મોકલાવી છે.

(10:17 am IST)