Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

સોમનાથ મંદિરે ઇમરજન્સી સેવા થકી બાળકીને જીવનદાન મળ્યું

પ્રભાસપાટણ તા.૨૪ : અહિ મહાશિવરાત્રી નિમિતે હજારો યાત્રીઓ ભગવાન શિવના દર્શનાર્થે આવતા હોય છે.

સોમનાથ મંદિર દ્વારા તેમજ મુંબઇની ગુજરાતી અભિનેત્રી રાજશ્રી મીના પંજાબી મીના નગી દ્વારા પણ સોમનાથ મહાદેવ મંદિર કોમ્પલેક્ષમાં ઇમરજન્સી મેડીકલ સારવાર કેમ્પનું આયોજન કરેલ હતુ. આ ઇમરજન્સી સેવા ૧૧૨ ચાલુ કરવા મંદિર ટ્રસ્ટે પણ સહયોગ આપ્યો હતો.

સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી દરમિયાન ભાવિકોની ભીડને લઇ એક બાળકી બેહોશ થઇ જતા તેની તબિયત લથડતા તેને મેડીકલ કેમ્પમાં તાત્કાલીક સારવાર માટે લઇ જવાઇ હતી.

૧૧૨ ઇમરજન્સી સારવાર કેમ્પમાં ઉર્મીલાબેન પાયલોટ ભાદરકા ડો. ધવલ મોદી અને ડો.ડોલીની ટીમે તેને તાત્કાલીક ઝડપી સારવાર આપતા બાળકીને નવજીવન મળ્યુ હતુ. થોડા સમયમાં જ બાળકી સ્વસ્થ થઇ જતા પરિવારે રાહતનો દમ લીધો હતો.

(12:21 pm IST)