Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

જામનગરના જાયવા પાસે અકસ્માતમાં ઘાયલ જામનગરના પટેલ પ્રૌઢે રાજકોટમાં દમ તોડયો

રાજકોટથી જામનગર જતી વખતે કાર ડીવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો'તો

રાજકોટ, તા.ર૪ : જામનગર નજીક જાયવા ગામ પાસે એક માસ પહેલા કાર ડીવાઇડર સાથે અથડાતા અકસ્માત થયા બાદ ઘવાયેલા જામનગરના પટેલ પ્રૌઢનું રાજકોટમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ જામનગરના પ્રગતિ પાર્કમાં રહેતા મનસુખભાઇ ચમનભાઇ સાંગાણી (ઉ.વ.પર) ગત તા. રપ-૧ર-ના રોજ પોતાની કાર લઇને રાજકોટથી જામનગર જતા હતાં ત્યારે જાયવા ગામ પાસે કાર ડીવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પટેલ પ્રૌઢને ગંભીર ઇજા થતાં સારવાર માટે જામનગર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક મનસુખભાઇ એલઆઇસીના વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા. એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પટેલ પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ જયસુખભાઇ હુંબલ અને રાઇટર પરાક્રમસિંહએ પ્રાથમિક કાગળો કરી જામનગર મોકલવા તજવીજ હાથ ધરી છે.

(4:22 pm IST)