Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ભાવનગરના કોંગી અગ્રણી ભીખાભાઇ જાજડીયા કોંગ્રેસ છોડી એનસીપીમાં જોડાઈ તેવી શકયતા

શનિવારે સીદસરમાં ખેડૂતો સાથે વાર્તાલાપ : મુખ્ય મહેમાન પદે શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે

ભાવનગરના કોંગી અગ્રણી પણ કોંગ્રેસનો સાથ છોડી એનસીપીમાં જોડાય તો નવાઈ નહીં. શનિવાર 25 તારીખે સીદસર ખાતે આવેલી ભીખાભાઇ જાજડિયાની શાળામાં ખેડૂતો સાથે વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો છે. તેમાં મુખ્ય મહેમાન પદે શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહેવાના છે 

   ભીખાભાઇ એનસીપીના સુપ્રીમો શરદ પવારની મુલાકાત લઈ ચુક્યા છે ત્યારે મનપાની ચૂંટણી સમયે એનસીપીનું નેતૃત્વ કરીને ભીખાભાઈ જાજડિયા ચૂંટણીમાં ઉતરે તેવી ચર્ચા જાગી છે.જો કે આ મામલે કોંગી અગ્રણી ભીખાભાઈને પૂછતાં તેમને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ભાજપ અને કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે.

   તેમણે  કહ્યું કે કોંગ્રેસમાં પીઢ નેતાઓની અવગણના થઈ રહી છે. જો કે મેં એનસીપી નેતા શરદ પવાર સાથે વાત કરી છે કે ભાવનગરમાં મને સ્વતંત્ર કામ કરવાનું હોય તો જ હું કામ કરીશ અને તેઓ તે માટે તૈયાર છે એટલે આગામી દિવસોમાં એનસીપી સાથે જોડાઈશ.

(4:04 pm IST)