Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

દેવભૂમી દ્વારકા જીલ્લામાં કોરોનાથી ૧૧ને બદલે ૯ના મોત દેખાડતા ભારે ચર્ચા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૨૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીના સંદર્ભમાં ગઇકાલે સમગ્ર જિલ્લામાં ભાણવડ અને ખંભાળિયામાં એક- એક મળીને માત્ર બે જ કેસ નોંધાયા છે. જયારે દર્દીઓ એક પણ ડીસ્ચાર્જ થયા ન હતા અને એકિટવ કેસની સંખ્યા ૪૭ થઇ છે. આગલા દિવસે કોરોના કોવિડ-૧૯ની મોતની સંખ્યા ૧૧ હતી તે નવ દેખાડતા ભારે ચર્ચા જાગી હતી. ૧૧નો આંક ગઇકાલે થઇ ગયો હતો જયારે બીનકોવીડમાં ૬૫ના મોત થયા હતા જેમાં ગઇકાલે વધુ એકનો ઉમેરો થતાં ૬૬ થયા છે. કુલ મૃત્યુઆંક ૭૭નો સમગ્ર જિલ્લાનો થયો છે.

(12:44 pm IST)