Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

નવાનગર બેંક તથા એકસાઇડ લાઇફ ઇન્સ્યોરન્સ તરફથી અવસાન પામેલ વીમેદારોના વારસદારોને વીમા કલેઇમની ચુકવણી

જામનગર : નવાનગર બેંક જામનગરના શહેરીજનોને આધુનિક બેંકીગની  સેવાઓ આપવામાં  અગ્રેસર રહે છે. તાજેતરમાં વીમાધારક રમેશભાઇ માંડવીયા, શ્રીમતી, મીરાબેન ચંપકલાલ સોલંકી તથા નારણભાઇ ચૌહાણનું અકાળે અવસાન થતા તેમના કુટુંબીજનોને વીમા કલેઇમની રકમ ઝડપથી મળે તે માટે સક્રિય પ્રયત્નો કરી આ ત્રણેય વીમા ધારકોના કલેઇમની એંકદર રકમ રૂ.૧૧,૬ર,ર૯રના ચેક તા.૧૭-૧ર-ર૦ર૦ના રોજ મ્યુનીસીપલ કમિશ્નર સતીષભાઇ પટેલના હસ્તે આપવામાં આવેલ. આ ત્રણ વીમા ધારકો પૈકી બે વીમા ધારકો કોરોના સંક્રમણનો ભોગ બનતા અવસાન પામેલ. આ તમામ વીમાધારકોના કલેઇમ માત્ર ૧પ દિવસમાં સેટલ કરી એકસાઇડ લાઇફ ઇન્સ્યોરનસ કાુ.એ એક ઉદાહરણીય કામગીરી કરેલ છે.

આ સમયે બેંકના મેનેજીંગ ડાયરેકટર આર.કે.શાહ, વાઇસ ચેરમેન, નાથાલાલ મુંગરા તથા ડાયરેકટર હસમુખભાઇહિન્ડોચા તથા એકસાઇડ લાઇફ ઇન્સ્યોરન્સ તરફથી કલ્સ્ટર હેડ પ્રતિક ટાંક તથા કુ. દિવ્યા માવલ હાજર રહયા હતા. આ સમયે મ્યુનિસીપલ કમિશ્નર પટેલ તરફથી બેંકની તેમજ વીમા કંપનીની કામગીરીને બિરદાવેલ. સદગતના વારસદારોએ બેંકની તથા એકસાઇડ લાઇફ ઇન્સ્યોરન્સની કામગીરી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરેલ હતી.

(12:43 pm IST)