Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

'નલ સે જલ' દ્વારા કાલાવડ તાલુકાના રીનારી ગામે ૨૪ કલાક ઘરે-ઘરે નળ દ્વારા પાણીની સુવિધા

જામનગર, તા.૨૨: જિલ્લામાં હંમેશા પાણીની તકલીફ જોવા મળી છે. કુદરતી રીતે જામનગર જિલ્લો સૌરાષ્ટ્રનો એવો જિલ્લો છે, જયાં પાણીની તંગીથી લોકો ખૂબ ત્રસ્ત રહેતા હોય છે  પરંતુ, સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવા માટે અનેક પેટા જૂથ યોજનાઓ, સૌની યોજના થકી હવે સૌરાષ્ટ્રનો પાણીપ્રશ્નએ ભૂતકાળ બની ગયો છે.

જેમાંના કાલાવડ તાલુકાના રીનારી ગામની વાત કરીએ તો, કાલાવડ થી ૧૧ કિલોમીટર દૂરનું આ રીનારી ગામ પાણીદાર બન્યું છે. ગામનાં લોકો આજે ૨૪ કલાક દ્યરઆંગણે પાણી મેળવી રહ્યા છે. સામાન્ય રીતે પાણી માટે લોકોના મુખેથી ફરિયાદ સાંભળવા જ મળતી હોય છે ત્યારે રીનારી ગામના લોકો કહે છે કે, અમે પાણી મેળવીને ખૂબ સંતુષ્ટ છીએ.

૬૫૦ લોકોની વસ્તી ધરાવતું અમારું રીનારી ગામ બે વર્ષ પહેલા પાણીની તકલીફથી પીડાતું હતું. વળી પાણી જે આપવામાં આવતું, તેમાં પણ પાઈપલાઈન વ્યવસ્થા અને ઊંચાણવાળા વિસ્તારના કારણે અનેક પ્રશ્નો રહેતા. સતત પાણીથી અસંતોષ અને પાણી માટે સતત મોટર ઉપર નિર્ભર રહેવાને કારણે ગામલોકોના વીજ બિલ પણ ખૂબ મોટા આવતા હતા. આ શબ્દો છે રીનારી ગામના મહિલા સરપંચ જયાબેન અકબરીના.

જયાબેન કહે છે કે, ગત વર્ષે હું ગામના સરપંચ પદે નિયુકત થઇ, એક મહિલા તરીકે પાણીની તકલીફ કેટલી ગંભીર છે તે વિશે હું સારી રીતે વાકેફ હતી અને આ પ્રશ્નના નિવારણ માટે અમે  વાસ્મોના સહકાર થકી ગામને નલ સે જલ યોજનાનો લાભ અપાવ્યો. વાસ્મો દ્વારા રીનારી ગામમાં પાણીની પાઈપલાઈનની સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. ત્યારબાદ ગામલોકોએ સહકાર સાથે આ યોજનાનો મહત્તમ લાભ ગામના ઘરે-ઘરે પહોંચે તે માટે દ્રઢ નિર્ધાર સાથે કામગીરી શરૂ કરી. આ વિશે ગામના ધર્મેશભાઈ અકબરી કહે છે કે, ઙ્કઅગાઉ ગામમાં પાણી વિતરણ થતું તેનાથી ખૂબ જ અસંતોષ હતો, સાથે જ ગામના ઉંચાણવાળા વિસ્તારો ના દ્યરોને તો મોટર ચાલુ કરવા છતાં પાણી પહોંચતું જ ન હતું. નલ સે જલ યોજના સાથે અમે જોડાયા ત્યારે આ પ્રશ્નને પણ નિવારી અને ગામના ઘરે ઘરે એક સરખા પ્રમાણમાં પાણી પહોંચે તે માટેની વ્યવસ્થા કરવા અમે ગ્રામ લોકોએ ગામને સાત વિભાગમાં વહેંચી અને પ્રથમ દરેક ઘરને ભૂગર્ભ ગટર સાથે જોડી રોડના લેવલીંગ કર્યા. પ્રોપર લેવલીંગના કારણે આજે ગામના સૌથી ઊંચાણવાળા વિસ્તારથી લઈને સૌથી નીચાણવાળા વિસ્તારમાં પણ પૂરતા પ્રમાણમાં પાણી પહોંચે છે અને ચોવીસ કલાક લોકોના દ્યરે પાણી પહોંચવાથી લોકો ખૂબ ખુશ છે.

રીનારી ગામમાં વસતા ૬૫ વર્ષીય વૃદ્ઘા દિવાળીબેન અકબરી કહે છે કે, ઙ્કપહેલા અમે ગામના પાદરેથી પાણી ભરીને ગામમાં લાવતા, વર્ષો સુધી આ રીતે પાણીની તકલીફ બાદ પાણીની લાઈન ગામમાં આવી, છતાં પણ તે પાણી અમને પૂરતું મળી રહે તે રીતે અમારા સુધી પહોંચતું ન હતું. પાદરેથી, નદી કાંઠેથી પાણી ભરી અને અમારે દ્યરે લાવવું પડતું. કયારેય વિચાર્યું નહોતું કે, અમારા દ્યરે આમ નળ ખોલતાં પાણી આવશે. આજે નરેન્દ્રભાઈ મોદીની આ યોજનાથી અમારા ગામમાં દ્યરે-દ્યરે ૨૪ કલાક પાણી મળી રહે છે. આમ અમારા ગામમાં પાણીનું ખૂબ સુખ છે, જે માટે પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો ખુબ ખુબ આભાર.

વર્ષોથી ઉંચાણવાળા વિસ્તારમાં પોતાનું દ્યર હોવાને કારણે પાણીની તંગી વેઠતા ૫૧ વર્ષીય શારદાબેન કમાણી કહે છે કે, ગામમાં લાઈન હોવા છતાં પણ અમારા દ્યરે કયારેય પાણી પહોંચતું જ નહીં, સતત મોટર ચાલુ રાખવા છતાં પણ પાણીનું ટીપું પણ દેખા ન દેતું, આ યોજનાથી અમારી બધી હાલાકીનો અંત આવ્યો છે. આજે અમારા ઊંચાણવાળા વિસ્તારના દ્યરમાં પણ પાણી પુરતા પ્રમાણમાં તો આવે જ છે, સાથે મોટર વગર અમે એક માળ ઉપર ના ટાંકે પણ પાણી પહોંચાડી શકીએ તે રીતે અમને પાણી મળી રહે છે. આ માટે વડાપ્રધાનના વિચાર અને મુખ્યમંત્રીના સહકાર માટે ખુબ આભારી છીએ.

તો વીજળી બિલની તકલીફ અંગે ખુલીને વાત કરતાં રીનારી ગામના ભગવતીબેન અકબરી કહે છે કે, અમારા ગામમાં પહેલા પાણીની એટલી તકલીફ હતી કે, લાઈન દ્વારા પૂરતું પાણી મળતું નહીં એટલે સતત મોટર ચાલુ રાખવી પડતી.વળી બોરમાંથી પાણી લેવા પણ મોટરનો જ ઉપયોગ થતો હોવાથી ખૂબ મોટા વીજળી બીલો અમ ગામલોકોને ભોગવવા પડતાં. આજે આ બધી જ તકલીફ દૂર થઇ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ નલ સે જલ યોજનાથી અમારા ગામમાં પાણીની જે તંગી હતી તે દૂર થઈ અને ૨૪ કલાક દ્યરબેઠા પાણી મળવાથી હવે વીજળી બિલ પણ ખૂબ ઓછું આવે છે અમારે હવે મોટર ચાલુ કરવી પડતી જ નથી.

હાલ રીનારી ગામના દરેક દ્યર ભૂગર્ભ ગટર સાથે જોડાયેલા છે, સાથે જ દ્યરે-દ્યરે શૌચાલયની વ્યવસ્થા છે. આમ રીનારી ગામ સો ટકા ખુલ્લામાં શૌચમુકત, સો ટકા ભૂગર્ભગટર જોડાણ ધરાવતું અને સો ટકા પાણીના નળ કનેકશન સાથે આદર્શ ગ્રામ તરફ અગ્રસર થઈ રહ્યું છે.

ગામના દરેક નળ કનેકશન સાથે પાણીના મીટર જોડાયેલા છે, જેથી પાણીનો બગાડ પણ થતો નથી.સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ પર પાણીના કારણે ગંદકી જોવા મળતી હોય છે જેના કારણે મચ્છરોનો ત્રાસ થતો હોય છે પરંતુ કાલાવડનું રીનારી ગામ એવું ગામ છે કે જયાં તમને રસ્તા સંપૂર્ણ સ્વચ્છ જોવા મળશે અને આ જ કારણોસર ગત વર્ષે જયારે જામનગર જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં પણ ડેન્ગ્યુનો કહેર ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયો હતો ત્યારે આ ગામ ડેન્ગ્યુના એક પણ કેસ વગર શાંતિથી અને સ્વસ્થતાપૂર્વક જીવી રહ્યું હતું.

ગાંધીજીના વિચારો 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને આવશ્યક સ્ત્રોતોનો જરૂરિયાતપૂર્વકનો ઉપયોગ'ને આ ગામ જીવન મંત્રો માનીને જીવી રહ્યું છે.

સંકલનઃ દિવ્યાબેન ત્રિેવેદી, માહિતી મદદનીશ

ફોટોઃ ગજેન્દ્રસિંહ જાડેજા, માહિતી બ્યુરો, જામગનર

(11:10 am IST)