Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

જૂનાગઢમાં એડવોકેટ પર કોર્ટ પાસે ૩ મહિલા ૪ શખ્સોનો હુમલો

જામીન પર છૂટતા જ વકીલને માર માર્યો

જુનાગઢ, તા. ર૩ : જુનાગઢમાં એડવોકેટ પર કોર્ટ પાસે જ ૩ મહિલા સહિત ૪ શખ્સોએ હુમલો કરતા સનસનાટી મચી ગઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે, મૂળ જુનાગઢના વતની હાલ રાજકોટના થોરાળા વિસ્તારમાં રહેતા વકીલ અશોક અરજણભાઇ સોલંકી (ઉ.વ.૪૬) દલિત સામે જૂનાગઢની હાઉસીંગ કોલોનીમાં રહેતા કવિતા ઉર્ફે મીરાબેન ભાણજીભાઇ માકડીયાએ પોલીસ ફરીયાદ કરેલ.

જેમાં ધરપકડ બાદ ગઇકાલે અશોકભાઇનો જામીન પર છૂટકારો થયેલ. આ અંગનેી જાણ થતા કવિતા માકડીયા તેમજ બિંદીયાબેન નાગજીભાઇ રાઠોડ, મોહિત નાગજીભાઇ રાઠોડ અને મનુબેન રામભાઇ જાદવ ગઇકાલે સાંજે અહીં કોર્ટ પાસે ધસી ગયા હતાં.

જયાં ચારેયએ અશોક સોલંકીને માર મારી ધમકી આપી હતી. આ અંગેની ફરીયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)