Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

સોમનાથ ભોજનાલયની બાજુમાં દુકાનની બહાર છાપરા કાઢતા ટ્રાફીકની સમસ્યા

પ્રભાસ પાટણ તા.ર૩: સોમનાથ મંદિરની બાજુમાં સોમનાથ શોપીંગની સામે અને ભોજનાલયને અડીને દુકાનો આવેલ છે જે દુકાનોનાં છાપરા એટલા બધા બિનકાયદેસર રીતે બહાર કાઢવામાં આવેલ છે જેથી ટ્રાફીકની સમસ્યા ઉભી થયેલ છે. એક બાજુ ઓટો રીક્ષા સહીતનાં વાહનોનું આડેધડ પાર્કીંગ આ રોડ ઉપર થાય છે. આ દુકાનોવાળાઓએ બિનકાયદેસર છાપરા બહાર કાઢેલ છે જેથી આ રસ્તો સાકડો થયેલ છે અને આ રસ્તો  પઠાણવાડા તરફ જાય છે. જયા હોટેલ-ગેસ્ટ હાઉસ આવેલા હોવાથી આ રોડ ઉપર યાત્રીકો અને સ્થાનિક લોકોની અવર જવર રહે છે જેથી ટ્રાફીકનો પ્રશ્ન કાયમી રહે છે અને યાત્રીકો હેરાન થાય છે.

આ વિશ્વપ્રસિધ્ધ સોમનાથ મહાદેવનાં દર્શને દેશ વિદેશનાં યાત્રીકો આવે છે અને આ રસ્તા ઉપરથી ગેસ્ટહાઉસ અને હોટેલોમાં જાય છે ત્યારે આ દુકાનોના બહાર કાઢેલા છાપરાથી ઉભી થયેલ ટ્રાફીકનો સામનો કરવો પડે છે. જેથી આ સોમનાથ શોપીંગ સેન્ટરની સામેની દુકાનોના બહાર કાઢેલા છાપરા તોડાવી નાખે તો ટ્રાફીકનો પ્રશ્ન હલ થઇ શકે છે છાપરા દૂર કરવા લોકોની માંગણી છે.

(11:41 am IST)