Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

આજોઠા ગામની સીમમાંથી બે વાછરડા અને ૬ વાછડીની ચોરી

પ્રભાસપાટણ, તા. ર૩ : વેરાવળ તાલુકાના આજોઠા ગામની સીમમાંથી સોલંકી ભગવાનભાઇ મેણસીભાઇની વાડીએથી રાત્રીના બે વાછરડા અને ૬ છાછરડીની ચોરી ગઇ છે.

તા. ર૧ના રાત્રીના ર થી ૩ના સમયમાં હાઇવે ટચ આવેલ રાબડાની બાજુમાં વાડીએ કુલ સારી અલાદની ર૦ ગાયો અને વાછરડા હતાં જેમાંથી ૬ નાની વાછરડી અને બે વાછરડાની મોટુ વાહન રાખી અને દોરડા છોડી અને લઇ ગયેલ છે. ૬ વાછરડીની અંદાજીત ૩૦ હજાર અને ર વાછરડાની ર૦ હજાર જેવી કિંમત થાય છે આમ કુલ પ૦ હજારની આ વાછરડી-વાછરડાની ચોરી કરવામાં આવેલ છે. જયારે ભગવાનભાઇ સોલંકી વાડીએ ગયેલ ત્યારે વાડીમાં મોટી ગાડીના નિશાન હતાં. આ બાબતે ભગવાનભાઇ સોલંકીએ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલ છે અને ચોરી કરનારને તાત્કાલીક પકડવા માંગણી કરેલ છે.

આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતોના માલ-ઢોર વાડીએ હોય છે અને આવી ઘટના પહેલી વખત બનેલ છે જેથી ખેડુતોના કિંમતી માલઢોરની આ રીતે ચોરી થવાથી ખેડૂતોમાં દુઃખની લાગણી ફેલાયેલ છે.

(11:33 am IST)