Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

માળીયા હાટીનામાં જલારામ જયંતીની ઉજવણી

માળીયાહટીના : ભકત શિરોમણી પૂ જલારામબાપાની જન્મ જયતિનું સાદાઈ પૂર્વક ઉજ્જવણી કરતા ચાલુ વર્ષે અન્નકોટ ધરવામાં આવેલ જેમાં સોસીયલ ડિસ્ટન્સ અને માસ્ક નો ફરજીયાત અમલ કરી ભકતોને દર્શન કરવામાં આવેલ તેમજ દરેક ભકતોને પેકિંગમાં પ્રસાદ વિતરણ કરવામાં આવેલ આ તકે લોહાણાના કુળગોર  રમણિકભાઈ પેરાણી દ્વારા બાપાનું પૂજન અર્ચન કરી સમસ્ત જ્ઞાતિવતી વિશ્વને કોરોના મહામારી માંથી વહેલી તકે મુકત થાય તેવી પ્રાર્થના કરી હતી. નાતજાતનાં ભેદ ભાવ વગર મોટી સંખ્યામાં નગરજનો અને લોહાણા જ્ઞાતિનાં ભાઈઓ બહેનોએ દર્શનનો લાભ લીધો હતો.  જલારામ બાપાના મંદિરે અન્નકૂટ દર્શનની તસ્વીર.

(11:35 am IST)