Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

દસાડામાં છેડતી બાદ સમાધાન માટે મેળલી બેઠકમાંથી બંન્ને પરિવારો બાખડયા - એકની હત્યા

વઢવાણ,તા.૨૩: દસાડામાં રહેતા એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે છેડતી બાબતે સમાધાન બેઠક શુક્રવારે બપોરના સમયે મળી હતી. આ બેઠકમાં બન્ને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બેઠક જૂથ અથડામણમાં પરિણમી હતી. જેમાં એક યુવાનનું છરીના દ્યા ઝીંકી ઢીમ ઢાળી દેવાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય બાબતે મારામારી અને હત્યા સહિતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે દસાડામાં દોઢ માસ અગાઉ થયેલ છેડતીની બાબતમાં મળેલ બેઠકમાં બોલાચાલી થતા હત્યાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ દસાડામાં રહેતા એક જ જ્ઞાતીના બે પરિવારો વચ્ચે છેડતી બાબતે બોલાચાલી થઇ હતી. જે બાબતનું સમાધાન કરવા શુક્રવારે બપોરના સમયે બેઠક મળી હતી. આ બેઠકમાં બન્ને પક્ષો વચ્ચે સમાધાનની વાતો ચાલુ હતી ત્યારે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા બન્ને પક્ષો સામ-સામે આવી ગયા હતા. જેમાં સવજીભાઇ નામના શખ્સે છરી વડે હૂમલો કરી રાજુભાઇ મુળજીભાઇનું મોત નીપજાવ્યુ હતુ. આ બનાવમાં બન્ને પક્ષે ઇજા પામેલા લોકોને સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા. જયારે દસાડા પીએસઆઇ જી.એન.શ્યારા સહિતનાઓએ દવાખાને ધસી જઇ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

(11:53 am IST)