Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ભાયાસરમાં વાડીએ પાણીની મોટરમાંથી વિજકરંટ લાગતાં રામભાઇ આહિરનું મોત

રાજકોટ તા. ૨૩: ત્રંબા નજીકના ભાયાસરમાં રહેતાં રામભાઇ દાનાભાઇ હુંબલ (ઉ.૫૬) નામના આહિર પ્રોૈઢનું વાડીએ વિજકરંટ લાગતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

રામભાઇ સવારે વાડીએ પાણીની મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગતાં બેભાન થઇ  જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યાનું તબિબે જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

મૃત્યુ પામનાર રામભાઇ ત્રણ ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(11:50 am IST)