Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મોરબીના ખુલ્લા નાળામાં ફરીથી ગાય ખાબકી

દીવાલ માટે અનેક રજૂઆત છતાં પરિણામ શૂન્ય

મોરબી,તા.૨૩: લીલાપર રોડ પર નાળાની દીવાલ જ નથી તેવી જવાબદાર તંત્રને તો ખબર જ નથી પરંતુ હદ ત્યારે થાય કે આ અંગે જાગૃત નાગરિકોની રજૂઆત છતાં પણ મોરબી નગરપાલિકા નું નીમ્ભર તંત્ર કોઈ કાર્યવાહી કરતુ નથી લીલાપર રોડ પર સ્મશાન પહેલા આવતું નાળું જેની દીવાલ વર્ષોથી તૂટી ગયેલી હોય અને આ મામલે મોરબી શિવસેના પ્રમુખ કે બી બોરીચાએ પાલિકા તંત્રને રજૂઆત કરીને અકસ્માતો રોકવા માટે દીવાલ બનાવવા માંગ કરી હતી જોકે નીમ્ભર તંત્રને નિર્દોષ નાગરિકો કે પશુઓના જીવની કોઈ કીમત ના હોય અને અકસ્માતો થાય તો થાય તેવો રવૈયો અખત્યાર કરવામાં આવી રહ્યો છે જેના પરિણામે અનેક વખત નિર્દોષ પશુઓ ખુલ્લા નાલામાં નીચે ખાબકે છે અગાઉ પણ ગાયો નીચે પડ્યાની દ્યટના બાદ વધુ એક વખત અહી ગાય નીચે ખાબકી છે ત્યારે શિવસેના પ્રમુખે માંગ કરી છે કે તાકીદે દીવાલ નહિ બનાવાય તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.

(11:39 am IST)