Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મોરબી ખત્રીવાડમાં લાઇટ અને ગટરના પ્રશ્નોથી પરેશાની

મોરબીઃ શહેરના અનેક વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવ જોવા મળે છે અને નાગરિકોમાં પાલિકા તંત્ર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે દરબાર ગઢ પાસેના ખત્રીવાડ વિસ્તારના રહીશોએ આવેદન પાઠવી લાઈટ અને ગટરના પ્રશ્નો મામલે રજૂઆત કરી હતી દરબાર ગઢ પાસેના ખત્રીવાડ વિસ્તારના રહીશો લાઈટ અને ગટરના પ્રશ્ને પાલિકા કચેરી પહોંચ્યા હતા જોકે હમેશની જેમ આજે પણ પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર પ્રજાના પ્રશ્ન સાંભળવા કચેરીએ હાજર જોવા મળ્યા ના હતા અને સ્થાનિકોએ પાલિકાના કર્મચારીને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે ખત્રીવાડ શેરી નં ૦૪ માં લાઈટો બંધ છે અને મેઈન રોડ પર ગટર ઉભરાય છે જે મામલે અગાઉ પણ રજૂઆત કરી છે છતાં કોઈ પગલા લેવાયા નથી ત્યારે લત્ત્।ાવાસીઓ ને લાઈટો અને ગટરની સમસ્યામાંથી મુકિત અપાવવા માંગ કરી છે તે તસ્વીર.

(11:36 am IST)