Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

જામનગરના ગુરુદ્વારામાં ગુરુનાનકની ૫૪૯ મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી

શબ્દ કીર્તન અને ભંડારો યોજાયો : ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યા લોકો જોડાયા

જામનગરના ગુરુદ્વારામાં ગુરુનાનકની ૫૪૯ મી જન્મજયંતિની ભવ્ય  ઉજવણી કરાઈ હતી જેમાં અખંડપાઠ સહીતનાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું શીખ અને સિંધી સમાજનાં લોકો માટે શબ્દ કીર્તન તેમજ ગુરુકા લંગર ઉર્ફે ભંડારો યોજાયો હતો.તમામ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યા લોકો જોડાયા હતા.

   આ મહોત્સવ દરમિયાન હજારો લોકોએ ગુરુદ્વારામાં માથું નમાવ્યું હતું. ગુરુદ્વારામાં છેલ્લા ૩ દીવસથી એનેકવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા. જેમાં વહેલી સવારે પ્રભાત ફેરી પણ યોજવામાં આવી હતી. તેમજ ગુરુદ્વારામાં અખંડ પાઠ અને લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું.

  આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કમિટીનાં સભ્યો હરપાલસિંહ, મનજીતસિંહ, હરદીપસિંહ ભોગલ, વિકાસ લાંબા, અમરજીતસિંહ અલુવાલીયા, રમેશ લાલવાણી, કુલમિત માલી, તરણજીત સિંહ, સહીત નાં કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.

(9:37 pm IST)