Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કેશોદમાં કોરોનાનો વધુ એક કેસ, ૩ દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા

તહેવારોમાં સંક્રમણ નિવારવા સાવચેતી જરૂરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૩ : કેશોદમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. તો બીજી તરફ ૩ દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

જુનાગઢ જિલ્લાના કેશોદમાં સંક્રમણ વધતા ચિંતાના વાદળા ઘેરાયા છે આ સ્થિતીમાં ગઇકાલે કેશોદમાં વધુ એક કોરોના કેસ આવતા આરોગ્ય વિભાગે જરૂરી પગલા હાથ ધર્યા છે.

દરમ્યાન શુક્રવારે કેશોદ, માણાવદર અને માંગરોળના એક-એક કોરોના દર્દી સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આગામી તહેવારોમાં સંક્રમણ વધે નહિ તે માટે માસ્ક અવશ્ય પહેરવું અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું જરૂરી છે.

(1:29 pm IST)