Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

આયુર્વેદ એસોસીએશન દ્વારા ''સોવેનિયર''નું વિમોચન

જામનગરઃ રાજકોટ આયુર્વેદ એસોસીએશન દ્વારા ''સોવેનિયર''નું વિમોચન શ્રીજી ગૌશાળા, ખંઢેરી સ્ટેડિયમની સામે, જામનગર હાઇ-વે ખાતે આયોજીત સમારંભમા કરવામાં આવ્યું હતું. આ મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, આરોગ્ય કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર શ્રીજી ગૌશાળાના ટ્રસ્ટી પ્રભુદાસભાઇ તન્ના (દાસભાઇ) ગોંડલ શ્રી રામજી મંદિરના  મહંત શ્રી જયરામદાસજી ઉપસ્થિત રહ્યા હતા આયુર્વેદ એસોસીએશનના પ્રમુખ અકબરભાઇ પટેલ, ઉપપ્રમુખ ભાવિકભાઇ રાવલ, મંત્રી અલ્કેશભાઇ કામદાર, ખજાનચી ગૌરવભાઇ દવે સહિતના દ્વારા સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું જીતેન્દ્રભાઇ વેકરીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ તકે ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.આ કાર્યક્રમમાં મુખ્ય સહયોગી આયુર્વેદ દવાની વર્ષો જુની નામાંકિત કંપની એવી ડાબર તથા રાજકોટ આયુર્વેદ એસોસીએશન દ્વારા આયુર્વેદ તથા તેની દવાની માહિતી પુરી પાડતી ઓડિયો-વિડીયો (વિઝયુઅલ)નું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.આ પ્રેઝન્ટેશનના આધારે કવીઝ કોમ્પીટીશન રાખવામાં આવી હતી. જેમાં આયુર્વેદને લગતા વિવિધ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ કવીઝ સ્પર્ધા વિજેતા થનાર સ્પર્ધકોને ઇનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરના ખ્યાતનામ વૈદ્યો સહિત વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અંતમાં આભારવિધિ ડો. મનિષભાઇ રૂપારેલીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા પછી સ્વરૂચિ ભોજન કાર્યક્રમ યોજાયો હતો. સફળ બનાવવા પ્રમુખ  અકબર પટેલ, ભાવિક રાવલ, અલ્કેશ કામદાર, ગૌરવ દવે તથા કમિટી સભ્યશ્રીઓમાં પરેશભાઇ તન્ના, વિશાલભાઇ પાબારી, અશ્વીનભાઇ કારીયા, સચીનભાઇ વ્યાસ, હેમલભાઇ ભાટીયા, મનીષભાઇ રૂપારેલીયા, દેવાંગભાઇ રાવલ વિગેરેએ જહેમત લીધી હતી.

(3:55 pm IST)