Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

દુનિયા રચવાવાળાને ભગવાન કહેવાય અને સંકટ હરનારને હનુમાન કહેવાયઃ પૂ.પારસમુનિ

ગોંડલ ખાતે શનિવારે હનુમંત મંત્ર જાપ સાધનાઃ રવિવારે અષ્ટલક્ષ્મી મંત્રી સાધના

રાજકોટ,તા.૨૩: ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ.શ્રી ગિરિશચંદ્રજી સ્વામીના સુશિષ્યા મહામંત્ર પ્રભાવક પૂ.શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય ક્રાંતિકારી સંત સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા.ના પાવન સાનિધ્યે તા.૨૬ને શનિવારે સવારે ૯ થી ૧૧:૩૦ કલાકે હનુમંત મંત્ર જપ સાધના તથા તા.૨૭ને રવિવારે સવારે ૯ થી ૧૧:૩૦ કલાકે અષ્ટલક્ષ્મી મંત્ર સાધના ટાઉન હોલ- ગોંડલમાં રાખવામાં આવેલ છે.

રૂપચૌદશ (કાળી ચૌદશ)ના હનુમંત જપ સાધના તંત્ર- મંત્ર- યંત્ર- નજર દોષ, વ્યાપાર બાધા, શનિદોષ, રાહુદોષ, મંગળ દોષ, કાળ સર્પ યોગ, પિતૃદોષ વગેરે દોષો અને બાધાઓના નિવારણ કરી જીવનમાં સુખ- શાંતિ- સમૃધ્ધિ આપનાર છે.

દિપાવલીના શુભદિને અષ્ટ લક્ષ્મી મંત્ર સાધના જીવનમાં શારિરીક, માનસિક, આધ્યાત્મિક સુખની વૃધ્ધિ કરાવનારી તથા અષ્ટલક્ષ્મી પ્રાપ્ત કરાવનાર છે.

જીવનમાં મળતી અસફળતાનું નિવારણ કરી અને આત્મરક્ષા, દેહરક્ષા કરનાર આ અમોઘ મંત્ર સાધનામાં દરેક સાધક આત્માએ પધારી સ્વયં સાધના કરી પાવનતા પામે પૂ.ગુરૂદેવના શ્રીમુખેથી મંત્ર સાધનાનો અવસર મળશે.

(11:42 am IST)