Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વાંકાનેરના ગારીયા ગામ નજીક તળાવમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી

લાશને પીએમ માટે રાજકોટ ખસેડાઈઃ ઓળખ મેળવવા તપાસ

વાંકાનેર, તા. ૨૩ :. વાંકાનેર તાલુકાના ગારીયા ગામ પાસે તળાવમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગારીયા ગામના તળાવમાં અજાણ્યા પુરૂષની લાશ તરતી હોવાની જાણ તાલુકા પોલીસને થતા મહિલા પીએસઆઈ રામાનુજ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને બહાર કાઢી પીએમ માટે રાજકોટ હોસ્પીટલમા ખસેડેલ છે. મૃતકના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા ન મળતા તેને આપઘાત કર્યાની પોલીસને શંકા છે. તાલુકા પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)