Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ધોરાજીમાં પરિણીત યુવકનાં આપઘાત પ્રકરણમાં મનીષા બાલધાની ધરપકડ

ધોરાજી તા.૨૩: ધોરાજીના પીપરવાડી પાવર હાઉસ પાસે રહેતા પટેલ અનીલભાઇ ભીખાભાઇ બાલધા ઉ.વ.૩૫એ ગઇ તા. ૫-૧૦-૧૮ના રોજ પટેલ યુવતી મનીષાબેન બાબુલાલ બાલધા રહે. કુંભારવાડા ધોરાજી વાળાના વારંવાર માનસિક ત્રાસ  આપી મરી જવા મજબુર કરતા અંતે છેલ્લા બે મહિનાથી પરણવા બાબતે દબાણ કરતા અંતે યુવાને ઝેરી દવા પી લેતા રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નિપજેલ.

મરણ જનાર યુવાનને પત્ની અને બે દિકરીઓ છે બાદ મરણ જનારની પત્ની ઇલાબેન અનિલભાઇ બાલધાએ સામેવાળી આરોપી મનીષાબેન બાબુલાલ બાલધા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૦૬ હેઠળ ગુન્હો નોંધી પીએસઆઇ જે.બી. મીઠાપરા-પ્રદીપભાઇ બારોટ (રાઇટર) વિગેરેએ મહિલા પોલીસની મદદથી આરોપી મનીષાબેન બાલધાની આઇપીસી કલમ ૩૦૬ હેઠળ ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા મહિલાને જેલ હવાલે કરેલ ઉપરોકત બનાવે ધોરાજીમાં ભારે ચર્ચા જગાવેલ હતી.

(3:45 pm IST)