Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

મોરબીમાં પત્નીને પતાવી દેનાર પતિ અને તેના બે મિત્રોના રીમાન્ડ મંગાયા

આડા સંબંધની શંકાએ ગળાટુપો દઇ લાશ કોથળામાં નાંખી નદીમાં ફેંકી દીધી'તીઃ મોરબી એસસીબીએ ભેદ ઉકેયો

મોરબી, તા.૧૨: મોરબીમાં આડાસંબંધની શંકાએ પત્નીને દેનાર પતિ અને તેના બે મિત્રોને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજી કરનાર છે. આ અનડિકેટ મર્ડરનો એલસીબીએ ભેદ ઉકેલી નાંખી પતિ અને તેના બે મિત્રોને દબોચી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મચ્છુ ૨ ડેમમાં નર્મદા કેનાલમાંથી ૩૦ થી ૩૫ વર્ષની અજાણી મહિલાની ગળે ટુંપો દઈને હત્યા કરેલી લાશ કોથળામાંથી મળી આવી હતી જે મામલે હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલવા જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાદ્યેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને તાલુકા પોલીસની ટીમે તપાસ ચલાવી હતી જેમાં મહિલાની ઓળખ થઇ સકી ના હોય અને હાથમાં હિન્દીમાં ઓમ નમ સિવાય હિન્દી લખેલું હોય જેથી સિરામિક ફેકટરીની શ્રમિક મહિલા હોવાની શંકા સાથે તપાસ ચલાવી હતી જેમાં મરણ જનાર મહિલા દુર્ગાબેન રહે સીબોન સિરામિક લેબર કવાર્ટરમાં રહેતી હોવાનું ખુલ્યું હતું અને ત્રણ શકમંદ ઈસમો ભૂરો શંકર ડામોર, સત્યનારાયણ ખેમરાજ ડોડીયા અને નટવર અર્જુનભાઈ ભાભોરએ ત્રણની આકરી પૂછપરછ કરતા અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકા સાથે હત્યા કરી લાશ ફેંકી દીધાની કબુલાત આપી હતી.

બીજી પત્નીને આડા સંબંધની શંકાએ કરી હત્યા

 મૃતક દુર્ગાબેન આરોપી ભૂરા ડામોરની બીજી પત્ની હોય અને પત્નીને અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકાને પગલે ગળે ટુંપો દઈને હત્યા કરી નાખી હતી તેમજ અન્ય બે આરોપીઓ સત્યનારાયણ ડોડીયા અને નટવર ભાભોરની મદદથી લાશ કોથળામાં નાખી લાલપર પાસે નર્મદા કેનાલમાં નાખી દીધી હોવાની કબુલાત આપી હતી. પકડાયેલ પતિ અને તેના બે મિત્રોને આજે રીમાન્ડ આર્થ કોર્ટમાં રજુ કરાશે તેમ પોલીસ સરકારે જણાવ્યું હતું.

(3:45 pm IST)