Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

પોરબંદર બોખીરાના તિરૂપતિ બાલાજી મંદિરે આવતીકાલે શરદપૂર્ણિમા ઉત્‍સવ

પોરબંદર તા. ર૩:: કાલે શરદ પૂર્ણિમા તા. ર૪ને બુધવારે શ્રી તિરૂપતિ બાલાજી મંદિરે ભજન સંધ્‍યા, ગોષ્‍ઠી પ્રસાદનું આયોજન સાંજે પ થી ૭ નો રાખેલ છે. પ્રખ્‍યાત પોરબંદરની મંડળી શ્રી વલ્લભ પ્રભુ સત્‍સંગ મંડળનાં પ્રકાશભાઇ રૂપારેલ અને તેનાં મંડળ દ્વારા ભકિતરસ પીરસસે ભજન સંધ્‍યા અને ગોષ્‍ઠી પ્રસાદના મનોરથી સ્‍વ. મહેન્‍દ્રભાઇ દયારામ ગજકરણ છે. સર્વે વૈષ્‍ણવજનોને પધારવા નારાયણ ટેકરી દેવસ્‍થાન ટ્રસ્‍ટની યાદીમાં જણાવાયું છે.

(1:14 pm IST)