Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સુરેન્દ્રનગરના હંસાબેન કોળીએ સળગીને જિંદગી ટૂંકાવી લીધી

રાજકોટ તા. ૨૩: સુરેન્દ્રનગરના કોળી મહિલાએ અગ્નિસ્નાન કરી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ પંચમુખી હનુમાનજી મંદિર પાછળ મફતીયાપરામાં રહેતાં હંસાબેન પ્રહલાદભાઇ કુમારખાણીયા (ઉ.૪૫)એ સાંજે ચારેક વાગ્યે શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી લેતાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાત્રે તેમનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોહાણે કાગળો કરી સુરેન્દ્રનગર પોલીસને જાણ કરતાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

(12:09 pm IST)