Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તા 23 થી ત્રણ દિવસ મોરબીના પ્રવાસે.

 મોરબીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ત્રણ દિવસ મોરબીના પ્રવાસે છે. જેમાં તેઓ ધાર્મિક અને અન્ય કાર્યક્રમમાં હાજરી આપશે.
બ્રિજેશભાઈ  મેરજા 23 ની સાંજે 6 કલાકે મોરબી પહોંચશે. ત્યારબાદ રાત્રે 8 કલાકે સ્કૂલના ગરબામાં હાજરી આપશે આવતીકાલે તારીખ 24 સપ્ટેમ્બર ને શનિવારના રોજ સવારે 9 વાગ્યે ખોખરા હરિહરધામ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 11 વાગ્યે નાના જડેશ્વર ખાતે સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપશે. તારીખ 25 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 કલાકે જામકંડોરણા કુમાર છાત્રાલય ખાતે રાજકોટ જિલ્લા કક્ષાના સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે.

(9:54 pm IST)