Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની અમદાવાદ બદલી થતા કોમી એકતા સમિતી વાલ્‍મીકી સમાજ અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા ભાવભીની શુભેચ્‍છાઃ પુષ્‍પવર્ષા દ્વારા કરાઇ

જૂનાગઢ : જૂનાગઢ નાં તમામ લોકોની સમસ્‍યાઓનું નિરાકરણ  તાત્‍કાલિક કરનાર જૂનાગઢ વાલ્‍મીકિ સમાજ સહિત જૂનાગઢ નાં તમામ લોકો નાં ચહિતા એવા જાંબાજ ડીવાયએસપીશ્રી પ્રદીપસિંહ જાડેજાનું ટ્રાન્‍સફર અમદાવાદ ખાતે જે ડિવિઝન માં મદદનીશ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવતા ગઇ કાલે સમસ્‍ત જૂનાગઢ વાલ્‍મીકિ સમાજ દ્વારા વાલ્‍મીકિ સમાજનાં સન્‍માનિય પ્રમુખશ્રી દિનેશભાઈ ચુડાસમાની આગેવાનીમાં તેમની બોડીનાં હોદેદારો ઉપપ્રમુખ મુકેશભાઈ બોરીચા્‌ ચંદ્રેશભાઇ ટીમાણીયા જૂનાગઢ વાલ્‍મીકિ સમાજનાં જૂદા જૂદા વિસ્‍તારનાં સમાજનાં આગેવાનો પ્રમુખોની ઉપસ્‍થિતિમાં અને સફાઈ કામદાર યુનિયનનાં પ્રમુખશ્રી વિજયભાઈ વાળા અને સફાઈ કામદાર યુનિયનનાં અન્‍ય હોદ્દેદારો અનિલભાઈ આર. ચુડાસમા, વાલ્‍મીકિ સમાજ ભવનાથ ધર્મશાળાનાં આગેવાનો જૂનાગઢ મહાનગરના જૂદા જૂદા વોર્ડનાં સુપર વાઈઝરો તથા આગેવાનો ભરતભાઈ પરમાર, આગેવાન શ્રી કાળુભાઈ ચૌહાણ, અરવિંદભાઈ ચુડાસમા, વિજયભાઈ વાઘેલા સહિતનાં તમામ મિત્રો તથા નવ યુવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને ડી.વાય.એસ.પી. શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ ની બદલી થતાં ભાવભીની વિદાય શુભેચ્‍છા મુલાકાત માં સૌ મિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા. અને વાલ્‍મીકિ સમાજનાં તમામ આગેવાનો દ્વારા જાડેજાને ફુલહાર સાફો શાલ પહેરાવી તેમજ આશાપુરા માતાજીનો ફોટો આપીને જાડેજાનું સન્‍માન કરવામાં આવેલ હતું આ તકે વાલ્‍મીકિ સમાજનાં પ્રમુખશ્રી દિનેશભાઈ ચુડાસમા એ જાડેજાનાં સન્‍માનમાં પોતાનું વ્‍યક્‍તવ્‍ય આપીને જાડેજાની જૂનાગઢની કામગીરીને બિરદાવેલ હતી. અનેક લોકોના ઘરના સુખદ સમાધાન લાવ્‍યા, અનેક લોકોને યોગ્‍ય માર્ગદર્શન આપી સાચી અને નવી દિશા બતાવી છે.  ત્‍યારે આવા અધિકારીઓ આપણા જૂનાગઢમાં હોય એ જુનાગઢ આપણે સૌ માતાજી ને પ્રાર્થના કરીએ કે જાડેજાફરી પાછા ટૂંકા સમયમાં જ આગવી શૈલીમાં કામ કરવાની પદ્ધતિનો   ફરી પાછો જૂનાગઢને લ્‍હાવો મળે. તેવી આશા વાલ્‍મીકિ સમાજનાં પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવેલ હતી. સરકાર દ્વારા અનેક એવોર્ડ્‍સથી સન્‍માનિત પણ કરેલ છે. જૂનાગઢ શહેરને ખૂબ પ્રેમ આપ્‍યો એ બદલ આભાર. જુનાગઢ લોકો પ્રિય અને આમ જનતાની સમસ્‍યા હમેશા ઉકેલ લાવવા માટે સક્રિય રહી ઉકેલ લાવતા જનતાના સાચા મિત્રની ફરજ બજાવી ને લોકો સાહના જેને મેળવી એવા જાંબાઝ ડી.વાય.એસ.પી.જાડેજાની અમદાવાદ બદલી થઈ હોય જાડેજા જુનાગઢ લોકોને  પ્રેમ આપેલ છે તે કોઈ દિવસ ભુલાશે નહીં તેમનુ સન્‍માન કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ જુનાગઢ દ્વારા બટુકભાઈ મકવાણા જીસાનભાઈ એડવોકેટ કારૂભાઈ કડીવાર વહાબભાઈ કુરેશી મુન્નાબાપુ કાદરી દાતારવાળા કે.ડી.સગારકા વાલજીભાઈ મેર હરેશભાઈ બાટવીયા સોહીલ સિદ્દીક સહિત અન્‍ય વિગેરેએ ફુલ ગુસ્‍તાવ આપી  સન્‍માન કરેલ છે. (તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી-જૂનાગઢ)

(1:20 pm IST)