Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જામનગરમાં કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા, સાંસદ નારણ રાઠવા દ્વારા ટિકિટ વાંચ્‍છુઓ સાથે બેઠક યોજી : સેન્‍સ પ્રક્રિયા : આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે : વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ જીતશે : કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝાનો દાવો

જામનગર : જામનગરમાં કોંગ્રેસના પ્રભારી અને નેતાઓએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને સેન્‍સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. કોંગ્રેસના હાઇકમાંડ માંથી નિમાયેલા પ્રભારી રામકિશન ઓઝા, રાજયસભાના સાંસદ નારણ રાઠવા જામનગર પહોંચ્‍યા હતા. જામનગરના સર્કિટ હાઉસમાં કોંગ્રેસના ટિકિટ વાંચ્‍છુઓ સાથે બેઠક યોજી આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે કેમ ચૂંટણીમાં જીત હાંસલ કરવી તેનું મનોમંથન કર્યું હતું. આ તકે કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધી ભાજપની બી ટીમ ગણાવી આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ જીતશે તેવો દાવો કર્યો હતો.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(10:24 am IST)