Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કોરોના કાળમાં પ્રજાની આવક દ્યટી છે ત્યારે સરકારી સહાય મેળવવા એક લાખની મર્યાદામાં આવકના દાખલા કાઢી આપવા રજૂઆત

જૂનાગઢ, તા.૨૩: કોરોના કાળમાં સામાન્ય લોકો ની આવક ના સ્ત્રોત નહિવત બનેલ છે ત્યારે સરકાર શ્રી ની વિવિધ યોજના ઓનો લાભ મેળવવા કે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્ત્િ। મેળવવા એક લાખ ની મર્યાદા માં આવક નો દાખલો રજૂ કરે તો જ લાભ મેળવી શકે ત્યારે જૂનાગઢ મામલતદાર કચેરીના આવકના નિયત મર્યાદામાં દાખલા કાઢી આપવા માં ગલ્લા તલ્લા કરી યેનકેન પ્રકારે એક લાખથી ઉપરના દાખલા કાઢી આપે છે જે અરજદારો માટે કશા જ કામના હોતા નથી જયારે આ દાખલો કઢાવવા જેતે અરજદારને બસ્સો થી ત્રણસો રૂપિયાનો ખર્ચ થાયછે ઉપરાંત એક દિવસ પોતાનો રોજ બગાડવો પડે છે વિશેષમાં જે તે અરજદાર સોગંદ ઉપર પોતાની આવક જાહેર કરતો હોય ત્યારે અન્ય કોઈ પ્રશ્ન રહેતો નથી છતાં પણ કોઈ શંંકાસ્પદ કિસ્સામાં જેતે તલાટી દ્વારા સ્થળ ખરાઈ કરી શકાય અને કાયદાકીય પગલાં ભરી શકાય પરંતુ  અરજદારોને વધુ આવકના દાખલાઓ કાઢી ખોટા ખર્ચ કરાવી હાલની વિકટ પરિસ્થિતિમાં જે તે અરજદારોને પરેશાન કરી રહ્યા હોવાનું બહાર આવેલ છે જયારે આં બાબતનો સરકારશ્રીનો કોઈ પરિપત્ર ના હોવાનું પણ જાણવા મળેલ છે આ બાબતે ઇન્ચાર્જ મામલતદાર શ્રી અંટાલાને મળી કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિના શ્રી બટુકભાઈ મકવાણા, સમજુભાઈ સોલંકી, સરપંચ જિશાનભાઈ હાલેપૌત્રા એડવોકેટ હરેશભાઈ બાટવિયા, મયુરભાઈ પઠાણ દાતારવાલા, રમજુભાઈ ભેસાનીયા, વહાબભાઈ કુરેશી કાસમભાઈ જૂનેજા, સાજીદભાઈ બેલીમ.સોહેલ સિદ્દીકી સહિતનાએ રજૂઆતો કરી તાકીદે યોગ્ય નિરાકરણ કરવા અન્યથા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવેલ છે.

(1:13 pm IST)