Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ભાવનગરના ગોપનાથના દરિયામાં ડૂબી જતા આધેડનું મોત નિપજ્યું

ભાવનગરઃ તળાજાના પવિત્ર યાત્રાધામ મોટા ગોપનાથ નજીક સમુદ્રમાં એક આધેડનું ડૂબી જવાથી મોત નીપજયું હતું. રેલીયા ગામે રહેતા રઘુભાઈ કાનજીભાઈ નામના આધેડ કોઈ પણ કારણોસર અકસ્માતે મોટા ગોપનાથ નજીકના દરિયા ના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયેલ મોડી રાત્રે અને સવારે શોધખોળ હાથ ધરાઈ હતી એ દૃરમિયાન મૃતદેહ સમુદ્ર કીનારે મળી આવ્યો હતો. રઘુભાઇના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવેલ. તળાજા પોલીસને જાણ થતાં તળાજા પોલીસ હોસ્પિટલ દોડી ગયેલ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી . રઘુભાઈના મોતને લઈને રેલીયા ગામમાં અને તળાજા પંથકમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

(11:35 am IST)