Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ચોટીલાના પીઢ પત્રકાર કિર્તીભાઇ શાહની પુણ્યતિથિ પ્રસંગે સમૂહ સામયિક, સ્નાન પૂજા, ધર્મ કળશનું પરિવારે આયોજન કર્યું

ચોટીલા :ચોટીલાઃચોટીલા દેરાવાસી જૈન સંદ્યના પ્રમુખ અને પીઢ પત્રકાર સ્વ. કિર્તીભાઇ શાહ ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિએ તેઓના આત્મશ્રેયાર્થે પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.  વર્ષો જુનાઅખબારી એજન્ટ સ્વ. કિર્તીભાઇ ભીખાલાલ શાહ (ઉ.વ.૭૩) ની ભાદરવા વદ એકમ ની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે તેમના પરિવાર દ્વારા સમુહ સામાયિક , સ્નાત્ર પુજા તથા ધર્મ કળશ સહિત ના ધાર્મિક કાર્યો કરી ને સદગત ના દિવ્ય આત્મા ની શાંતિ માટે ભાવભીની શ્રદ્ઘાંજલિ સદગત ના પરિવાર ના ચંદ્રકાંતભાઇ શાહ (માવાણીભાઇ) , જાણીતા પત્રકાર જીજ્ઞેશભાઇ શાહ , રાકેશભાઇ શાહ તથા હેમલભાઇ શાહ તથા અન્ય પરિવારજનોએ અર્પણ કરી હતી. જયારે સમુહ સામાયિક , સ્નાત્ર પુજા સહિત ના કાર્યો માં ચોટીલા તથા મહાવીર પુરમ ચાતુર્માસ બીરાજમાન મહાસતીજીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.(તસ્વીરઃ ડી. જે. શાહ)

(11:34 am IST)