Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

જુનાગઢ જિલ્લામાં નવા ૩પ કેસ, ૪૯ ડિસ્ચાર્જ

(વિનુ જોશી) જુનાગઢ તા.ર૩ : જુનાગઢ જિલ્લામાં ગઇકાલે નવા ૩પ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ.

જો કે જુનાગઢના રર સહિત કુલ ૪૯ દર્દી ડિસ્ચાર્જ પણ થયા હતા.

જિલ્લામાં જુનાગઢ સીટીના૧૮ કેસનો સમાવેશ થાય છે.

જયારે કેશોદમાં ૪, જુનાગઢ ગ્રામ્ય અને માળીયા તાલુકામાં ત્રણ ત્રણ, વિસાવદર બે, ભેંસાણ, મેંદરડા, માંગરોળ અને વંથલી તાલુકાના એક-એક કેસ નોંધાયો હતો.

જુનાગઢ જિલ્લામાં સોમવારે કન્ટેઇનમેન્ટ ઝોનનાં ૧ર૬૭ વધારો થયેલ. પરંતુ ગઇકાલે ૭,૦ર૩ લોકોના ઘટાડો થયો હતો. આમ રિકવરી રેટ વધ્યો હતો.

(12:50 pm IST)