Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ભાવનગરમાં આર્થિક ભીંસથી ત્રાસી જઇને રિક્ષા ચાલકનો આપઘાત

ભાવનગર તા. ર૩: ભાવનગરમાં આર્થિક સંકડામણથી કંટાળી રીક્ષા ચાલકે ગળેફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.

શહેરનાં સુભાષનગર વિસ્તારમાં રાજપુતવાડા વિસ્તારમાં રહેતાં શાંતીભાઇ ગોવિંદભાઇ બારૈયા ઉ.વ. ૪પ એ તેનાં ઘેર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી.

મૃતક શાંતીભાઇ રીક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવતા હતા. લોકડાઉનમાં કામ ધંધો બંધ રહેતાં તેને રીક્ષા વેચી પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું. રીક્ષા વેચાઇ ગયા બાદ પણ બેકારી અને આર્થિક ભીંસથી કંટાળી જઇ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળેલ છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ગાંજા સાથે મહિલા ઝડપાઇ

ભાવનગરનાં સિહોરમાં સુરકાનાં ડેલા પાસે રહેતાં સંગીતાબેન રમેશભાઇ દવેને પોલીસે વનસ્પતિજન્ય સુકો ગાંજો-૧ કિલો ૬૬૦ ગ્રામ કિંમત રૂ. ૧૬૬૦૦ સાથે પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:45 am IST)