Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ભાવનગરમાં ૪૭ કેસો ૪૭ દર્દીઓ કોરોનામૂકત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૩,૮૭૧ કેસો પૈકી ૩૯૪ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર તા. ર૩: જિલ્લામાં વધુ ૪૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૮૭૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ર૬ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૩૪ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે ૧, ઘોઘા ખાતે ૧, મહુવા ખાતે ૧, મહુવા તાલુકાના ઓથા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૩, પાલીતાણા તાલુકાના ઘેટી ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના સાંજણાસર ગામ ખાતે ૧, સિહોર તાલુકાના મોટા સુરકા ગામ ખાતે ૧, તળાજા ખાતે ર તેમજ તળાજા તાલુકાના પીપરાળા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

આમ જિલ્લામાં નોંધાયેલા ૩,૮૭૧ કેસ પૈકી હાલ ૩૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે જયારે અત્યાર સુધીમાં કુલ ૩,૪૦૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છ ે તેમજ જિલ્લામાં ૬ર દર્દીઓના અવસાન થયેલ છે.

(12:03 pm IST)