Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

પોરબંદરના મહિયારીની પરિણીતા બે પુત્રો સાથે રપ દિવસથી ગુમ

પોરબંદરઃ પોરબંદર તાલુકાના ગરેજ(ઘેડ) ગામે માવતર ધરાવતી મહિયારીની ભાનીબેન રામભાઇ પરમાર (ઉ.વ.૩પ) તેમના તેમના બે પુત્રે  (રવિ ઉ.વ. ૧૪) તથા નિલેશ (ઉ.વ.૧ર) મોરબી જવા ગરેજ ગામેથી પોરબંદર-જુનાગઢ એસ.ટી.બસમા બેઠેલા. ત્યારે આ બસ બાંટવા પહોંચતા  બાટવા એસ.ટી. ડેપોમાંથી ઉતર્યા પછી ભાનીબેન તથા તેમના બંને સંતાનોનો કોઇ પત્તો ના લાગતા ભાનીબેનના કાકા વેજાભાઇ સરમણભાઇ આડેદરાએ ગુમ થયાની નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી હતી. પરંતુ હજુ સુધી તેમની ભાળ મળી ના હોય ત્યારે મહેર સમાધાન સમિતિના સભ્યો સાથે રહીને ગુમ થયેલ ભાનીબેન રામભાઇ પરમાર અને તેમના બંને સંતાનોની વધુ તપાસ આગળ ચલાવવા માટે રજુઆત થઇ છે.

(12:38 pm IST)